
કેદની સજાનો અમલ કરવા બાબત
(૧) કલમ-૪૫૩માં જોગવાઇ કરેલા કેસો સિવાયના આરોપીને આજીવન કેદની કે નિદિષ્ટ મુદતની કેદની સજા કરવામાં આવે ત્યારે સજા ફરમાવનારા ન્યાયાલયે જે જેલમાં કે બીજે સ્થળે આરોપી હોય કે તેને રાખવાનો હોય તે જેલ કે બીજે સ્થળે તરત વોરંટ મોકલવું જોઇશે અને આરોપી તે જેલમાં કે બીજે અટકાયતમાં ન હોય તો તેને વોરંટ સાથે તે જેલમાં કે તે સ્થળે મોકલી આપવો જોઇશે.
પરંતુ આરોપીને ન્યાયાલય ઊઠતાં સુધીની કેદની સજા કરવામાં આવી હોય તો જેલને વોરંટ તૈયાર કરીને મોકલવાની જરૂર રહેશે નહીં અને ન્યાયાલય આદેશ આપે તેવા સ્થળે આરોપીને અટકાયતમાં રાખી શકાશે.
(૨) આરોપીને પેટા કલમ (૧)માં જણાવ્યા પ્રમાણેની કેદની સજા કરવામાં આવે તે વખતે તે ન્યાયાલયમાં હાજર ન હોય ત્યારે જે જેલમાં કે બીજે સ્થળે તેને અટકાયતમાં રાખવાનો હોય ત્યાં તેને મોકલવા માટે તે ન્યાયાલયે તેને પકડવાનું વોરંટ કાઢવું જોઇશે અને એ પ્રસંગે સજાનો અમલ તેને પકડવામાં આવે તે તારીખથી શરૂ થશે.
Copyright©2023 - HelpLaw